Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Agneepath Yojana army navy air force

અગ્નિપથ યોજના /  અગ્નિપથ ભરતી


Agneepath Yojana army navy air force 2022

અગ્નિપથ યોજના શું છે ?

What is Agneepath Yojana in Gujarati ?
  •  ભારતીય સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ ( આર્મી ) , નૌકાદળ ( નેવી ) અને હવાઈદળ ( એરફોર્સ ) માં ભરતી થશે .
  • ભારતીય સેનામાં ૪ વર્ષ આકર્ષક વળતર સાથે સેવાની તક 
  • યોજનામાં જોડાનારને અગ્નિવીર નો ખાસ હોદ્દો મળશે.
  • દર વર્ષે અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરની ભરતી થશે.
  • યુવાનોને લશ્કરી તાલીમનો લાભ મળશે. જેના વડે જીવન ઘડતર થશે .
  • 25% અગ્નિવીરોને લાયકાતના ધોરણે ૪ વર્ષ બાદ પણ સેવા - નોકરીની તક.

 અગ્નિપથ યોજના હેઠળ પગાર કેટલો હોય છે ?

અગ્નિપથ યોજના

  • ૪ વર્ષ એટલે કે ૪૮ માસની સેવા પેટે કુલ વળતર ૧૧.૭૧ + ૧૧.૭૧ = ૨૩.૪૨ લાખ મળશે . જેની ગણતરી કરીએ તો ૨૩,૪૨,૦૦૦ / ૪૮ કરતા સરેરાશ માસિક વેતન ૪૮,૭૯૦ / - મળશે.
  • ભારતીય સેનામાં ૪ વર્ષની સેવા બાદ લાયકાત મુજબ કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / રેલ્વે / બેંક વિગેરેમાં નોકરી માટે અગ્રતા મળી શકે. 
  • સેનામાં ૪ વર્ષની સેવા બાદ સ્વરોજગાર ધંધા - ઉદ્યોગ માટે બેંક લોન મેળવવામાં સરળતા રહે . 
  • સેવાકાળના ૪ વર્ષ દરમ્યાન કેન્ટીન તથા મેડીકલની સુવિધા મળશે. 

ખાસ અગત્યની બાબત એ છે કે યુવાનોને રાષ્ટ્ર સેવા સાથે , આકર્ષક આર્થિક વળતર કે જીવન ઘડતરનો અને પોતાના વ્યક્તિત્વ ઘડતરનો અનેરો લાભ પ્રાપ્ત થશે .


અગ્નિપથ યોજના માટે વય મર્યાદા કેટલી છે ?

Age limit for Agneepath yojana in Gujarati.
 
અગ્નિપથ યોજના માટે વય મર્યાદા 17.5 થી 23 વર્ષ છે.


અગ્નિપથ યોજના માટે શૈક્ષણિક લાયકાત કેટલી છે ?

જનરલ ડ્યુટી , ટેકનિકલ અને ક્લાર્ક માટે ધોરણ -૧૦ પાસ ટ્રેડસમેન માટે ધોરણ - ૮ પાસ (વધુ માહિતી માટે ઓફીસીઅલ જાહેરાત જુઓ)


અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર યુવાનોને શું લાભ થથે ? 

  • યુવાનોનું જીવન ઘડતર થશે.
  • અગ્નિપથ યોજના દેશને આધુનિક ટેક્નોલોજીથી સશક્ત યુવા સેના આપશે
  • યુવાનોમાં શિસ્ત અને સમજણ વધશે.
  • જીવનમાં સમયપાલનનો ગુણ વિકસશે.
  • યુવાધન દેશ સેવા પૂર્ણ કર્યાબાદ પોતાનાં પરિવાર માટે યુવાનીનો વધુ સમય આપી શકશે.
  • યુવાધન શારીરિક રીતે ખડતલ અને મજબુત બનશે. 
  • યુવાનોમાં આળસ દુર થશે અને પરિશ્રમ કરવાની ટેવ પડશે. 
  • યુવાનોના વ્યક્તિત્વનો વિકાસ થશે. 
  • સમુહમાં રહેવાની , સમુહમાં કામ કરવાની સંઘભાવના કેળવાશે. 
  • દેશ ભાવના - રાષ્ટ્ર પ્રેમ વિકસિત થશે તથા બહોળા પ્રમાણમાં યુવાનોને દેશ સેવાની તક મળશે.
  • રાષ્ટ્ર - સમાજ પ્રત્યેની ફરજ ઉજાગર થશે.
  • ચારિત્રવાન યુવાનો તૈયાર થશે.
  • લશ્કરી તાલીમ જીવન પર્યંત ઉપયોગી બનશે.
  • રાષ્ટ્ર માટે સારા નાગરિકનું ઘડતર થશે.
Agneepath Yojana army navy air force

Post a Comment

Previous Post Next Post